Placeholder canvas

રાજકોટમાં હાર્ટએટેકે વધુ બેનો ભોગ લીધો…

રાજકોટમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ થંભી જવાનું નામ લેતી નથી. છેલ્લા ર૪ કલાકમાં વધુ બે આધેડનું હાર્ટએટેકથ મૃત્યુ નિપજતા પોલીસે કાગળો કરી તપાસ હાથ ધરી છે.

ગાયત્રીનગર મેઈન રોડ પર હસનવાડીમાં રહેતા આનંદભાઈ કાંતીભાઈ પરમાર (ઉ.વ.પ૦) ઘરે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા ભક્તિનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. સંતાનમાં ૧ પુત્ર અને ૧ પુત્રી ધરાવતા આનંદભાઈ મોબાઈલની દુકાન ચલાવતા હતા. હાર્ટએટેકથી મોત થયાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

બીજા બનાવમાં રૈયા ગામમાં રહેતાં સુરેશભાઈ વલ્લભભાઈ ગોહેલ (ઉ.વ.૪૮) આજે સવારે ઘરે એકાએક બેભાન થઈ જતા સિવીલમાં ખસેડાયા હતા જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.

સુરેશભાઈને હાર્ટએટેક આવી ગયાનું ગાંધીગ્રામ-ર પોલીસની તપાસમાં ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઢોલરાના પાટીયા પાસે ચાની કેબીને ઢળી પડતા આધેડનું મૃત્યુ નિપજયું હતું.

આ સમાચારને શેર કરો