Placeholder canvas

હનુમાનગઢમાં વિમાન ઘર પર ખાબકતા બે ગ્રામીણના મોત

બન્ને પાયલોટ સુરક્ષિત

રાજસ્થાનના હનુમાનગઢમાં આજે મિગ-21 વિમાન બહલોલનગર ગામે એક મકાન પર તૂટી પડતા બે ગ્રામીણોના મોત થયા હતા, જયારે બે પાયલોટનો બચાવ થયો હતો.

આ અંગેની વિગત મુજબ રાજસ્થાનના હનુમાનગઢના બહલોલનગર ગામે સેનાનું મિગ-21 જેટ વિમાન એક રહેણાંક મકાન પર તૂટી પડયું હતું. આ વિમાન દુર્ઘટનામાં બે ગ્રામીણના મોત નિપજયા હતા. જયારે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ એરફોર્સના વિમાન દુર્ઘટનામાં બે પાયલોટનો બચાવ થયો હતો.

આ સમાચારને શેર કરો