Placeholder canvas

વાંકાનેર: રાતાવીરડાના સરપંચ સાથે ફરવાનું પરિણામ ધોકા ખાવાનું આવ્યું !! ફરિયાદ.

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે દુકાન ધરાવતો યુવાન ગામના સરપંચ સાથે ફરતો હોય આજ ગામના ચાર યુવાનને સારું નહિ લાગતા યુવાન તેમજ એક મહિલાને ગાળો બોલી ધોકા વડે માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા સંઘાભાઈ મગનભાઈ ઉકેડીયા ઉ.42નામનો યુવાન ગામના સરપંચ સાથે ફરતો હોય આ જ ગામના હિરાભાઈ ભીમાભાઈ કૂંણપરા, જોની નાનજીભાઈ કૂંણપરા અને સવશીભાઈ જાદુભાઈ કૂંણપરાને સારું નહીં લાગતા ચારેય આરોપીઓએ સંઘાભાઈની દુકાને આવી ઢીકા પાટુનો માર મારી ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ ઉપરાંત કૈલાશબેન નામના મહિલાને પણ ચારેય આરોપીઓ માર માર્યો હતો.

બનાવ અંગે ભોગ બનેલા સંઘાભાઈના પત્ની ફૂલીબેન ઉકેડીયાએ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 447, 504, 114 સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

આ સમાચારને શેર કરો