Placeholder canvas

ટંકારા: હડમતિયા ગામે નવા પાણીના સંમ્પનું ખાતમુર્હત કરાયું.

હડમતિયા ગામે ગ્રામજનોની આશરે ૪૦૦૦ વસ્તીને ધ્યાનમાં રાખી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ પંચાયતના સદ્સ્યો સાથે મળી ગ્રામજનોની સુખ સુવિધા ધ્યાનમાં રાખી નવા પાણી ના સંપ તેમજ ઘરે ઘરે પાણી માટે નવા કનેક્શન આપવા માટે વાસ્મોમાંથી યોજના મંજૂર કરાવી એ યોજનાનાં ભાગ રૂપે પાણીના સંપનું આજ રોજ ખાત મુર્હૂત કરવામા આવ્યું હતું.

આ કામ પૂર્ણ થતા હડમતિયા ગામના લોકોને પાણીની સમસ્યાનું સુખદ સમાધાન થઈ જશે આ પ્રસંગે હડમતીયા ગામના આગેવાન પંકજ રાણસરીયા, પંચાયત સદસ્ય અશોકભાઈ સગર, હસમુખ ખાખરીયા, જગદીશભાઈ સીણોજીયા, રોનક ડાકા, ઉમેશ મેરજા, જેમલભાઈ સાટકા, મયુર કામરીયા, સવજીભાઈ ખાખરીયા, મયુર પરમાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો