ગુજરાત

દાદીએ 14 મહિનાના પૌત્રને બચકાં ભર્યા અને મૂઢમાર મારતા થયું મોત…

સગી દાદી પૌત્રને બચકા ભરી, મૂંઢમાર મારીને મારી નાખી શકે ખરી? દાદા દાદીને તો મુદ્દલ કરતા વ્યાજ વ્હાલું હોય એવું લોકો કહે છે. પણ આ કિસ્સામાં આ બધાથી વિરોધની વાત છે. અમરેલીના રાજસ્થળી ગામમાં દાદીએ 14 માસના પૌત્રને બચકાં ભર્યા અને મૂઢમાર મારતા મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રાજસ્થળી ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. જ્યાં 14 માસનું બાળકનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો. જે બાદ આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક બાળક અને તેની બહેન દાદી પાસે રૂમમાં રમી રહ્યા હતા. આ દરમિયાન બાળક એકાએક રડવા લાગ્યું હતું. જે બાદ દાદીને બાળકને છાનું રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં બાળકે રડવાનું બંધ ન કરતા દાદીએ આવેશમાં આવીને બાળકના ગાલ,કપાળ, હાથ અને શરીરના અન્ય ભાગ પર બચકાં ભર્યા હતા. એટલું જ નહીં મૂઢમાર માર્યો હતો. બાદમાં બાળકનું મોત થયું હતું.

બીજી તરફ પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો