કામધેનુ યુનિવર્સિટી દ્વારા ગિરીશભાઈ શાહને ડોકટરેટની પદવી અપાઈ
કામધેનુ યુનિવર્સિટી દ્વારા 10મા વાર્ષિક દીક્ષાંત સમારોહનું આયોજન થયું હતું. આ સમારોહમાં પશુ કલ્યાણ અને સામાજિક ઉત્થાનમાં સમાજને તમામ પાસાઓમાં આપેલા યોગદાનના બહોળા અનુભવને કારણે કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય તેમજ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહને કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા “ડોક્ટર ઓફ સાયન્સ”ની પદવી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, યુ.પી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય પશુચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એવમ્ ગૌ-અનુસંધાન સંસ્થાન, મથુરાનાં કુલપતિ પ્રો. ડૉ. એ. કે શ્રીવાસ્તવ, કામધેનું યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. એન. એચ કેલાવાલા ઉપસ્થિત રહ્યા હતા.