Placeholder canvas

ગાયત્રી પરિવાર વાંકાનેર દ્રારા ફૂલ છોડ તથા વિવિધ વસ્તુનુ રાહત દરે વિતરણ…

વાંકાનેર : આગામી રવિવારે ગાયત્રી પરિવાર વાંકાનેર દ્રારા ફૂલ છોડ તથા વિવિધ વસ્તુનુ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

ફુલછોડમાં મોગરો, ક્રોટોન, રસુલિયા, જાસુદ, ઇંગલિશ અને કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, થાઈલેન્ડ મોગરા, એરીકાપામ, જૂઈ ,નાગરવેલ ,ચીની ગુલાબ, દ્રાક્ષ, નાળિયેરી વગેરે રોપાનું રાહત દરે મળશે.

આ સિવાય બીજી અનેક સ્વદેશી વસ્તુઓ જેમાં રસોડામાં વપરાતા પાટલી વેલણ જેવા લાકડાના સાધનો, ઉપરાંત હરડે, દેશી ગોળ, કાટલું, મુખવાસ, અરીઠા પાવડર, ખાતર, ગિલોય ગોળી, લીમડાનો સાબુ, તમામ પ્રકારનાં કઠોળ વગેરે ચીજ વસ્તુઓ પણ રાહત દરે મળશે….

તારીખ:- 18/12/2022, વાર:- રવિવાર
સમય:- બપોરે 03:00 થી 07:00
સ્થળ:- ગાયત્રી શક્તિપીઠ, મહાકાળી તળેટી વાંકાનેર

સંપર્ક:- રાહુલ જોબનપુત્રા:- 9265066096

આ સમાચારને શેર કરો