Placeholder canvas

વાંકાનેર: સિરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ લાગતા 5 દાજયા…

વાંકાનેર: માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીકના લેબર ક્વાર્ટરમાં સવારે ગેસ સિલિન્ડરની નળીમાંથી ગેસ લિકેજ થતાં અચાનક આગ લાગી હતી, જેમાં કુલ પાંચ જેટલા મજુરો દાજયા હતા, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની મળેલ માહિતી મુજબ માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીકના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં આશિષ બંજારા (ઉ.વ. ૧૯), રાહુલભાઈ કુશવાહ (ઉ.વ. ૨૩), લક્ષ્મણ કહાર (ઉ.વ. ૨૦), હિતેશ કુશવાહ (ઉ.વ. ૨૩), વિકાસ બંજારા (ઉ.વ. ૨૦) સહિત પાંચ શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા…

જેમાંથી લક્ષ્મણભાઈ, આશિષભાઇ અને વિકાસભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હિતેશભાઈ અને રાહુલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ સમાચારને શેર કરો