વિશેષ લેખ

આજે 30મી જાન્યુઆરી એટલે“ગાંધી નિર્વાણ દિવસ”

🌸 આવો ગાંધીજીના જીવનના મુલ્યો શીખીએ

30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ” તરીકે ઓળખાય છે. આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતોને યાદ કરીએ. ગાંધીજી માત્ર દેશને આઝાદ કરાવનાર નેતા જ નહોતા, પરંતુ તેમની જીવનશૈલી અને મૂલ્યો પણ જગત માટે પ્રેરણાનું સ્તોત્ર હતા. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક શીખો આપી, જે આજે પણ માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે.

1.       શાકાહાર અને સ્વાસ્થ્ય:  
મહાત્મા ગાંધીજી સંપૂર્ણ શાકાહારી હતા અને તેઓ માનતા હતા કે શાકાહાર એ માનવજીવન માટે શ્રેષ્ઠ માર્ગ છે. શાકાહારથી માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય બંને સારું રહે છે. તેઓએ પોતાની આદર્શ જીવનશૈલીથી દર્શાવ્યું કે શાકાહાર ન માત્ર આરોગ્ય માટે સારો છે, પણ આહિંસાના સિદ્ધાંતનું પણ પાલન કરે છે.

2.      બકરીનું દૂધ અને પ્રાકૃતિક ઉપાય: 
મહાત્મા ગાંધીજી જ્યારે સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતા હતા, ત્યારે તેમણે બકરીનું દૂધ પીવાનું શરૂ કર્યું. તેઓ માનતા હતા કે પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પુરવઠો, જેમ કે બકરીનું દૂધ, જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે..

3.       ગાયનું મહત્વ:    
મહાત્મા ગાંધીજી ગાયને માતા જેવી માનતા હતા અને હંમેશા એના રક્ષણ અને સન્માન માટે અવાજ ઉઠાવતા. તેમણે ગાયના રક્ષણને દેશના નૈતિક મૂલ્યો સાથે જોડ્યું હતું. તેમના મતે, ગાય માનવજાત માટે આર્થિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે ફક્ત દૂધ આપતી નથી, પણ ખેડૂતો માટે એ એક મહત્ત્વનું સંપત્તિરૂપ પણ છે.

4.      પશુ અને પક્ષીઓની જરૂરિયાત:    
મહાત્મા ગાંધીજી માનતા હતા કે પ્રાણી અને પક્ષીઓ આપણા પર નિરર્ભર છે, અને માનવજાતની ફરજ છે કે તેઓનું રક્ષણ કરે. તેમણે હંમેશા પ્રાણીઓ માટે કરુણા દર્શાવી અને તેમનું રક્ષણ કરવાની વાત કરી.

5.      સત્ય અને અહિંસા:        
ગાંધીજીનું સમગ્ર જીવન સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની આસપાસ ફરતું હતું. તેમણે હંમેશા સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનું જ નક્કી કર્યું હતું અને અન્યને પણ તેવી જ પ્રેરણા આપી હતી.


ગાંધી નિર્વાણ દિવસ એ આપણી માટે યાદ અપાવવાનો દિવસ છે કે મહાત્મા ગાંધીજીના આદર્શો અને શીખો આજે પણ એટલાં જ મહત્વના છે, જેટલા તેમના જીવનકાળ દરમિયાન હતા. તેમની જીવનશૈલી, શિક્ષાઓ અને આદર્શો આપણને વધુ સારી રીતે  જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે.

– મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો