વાંકાનેર: આવતી કાલે મહીકામાં નિશૂલ્ક સર્વ રોગ હોમીઓપેથી સારવાર કેમ્પ…

વાંકાનેર: આયુષ પદ્ધતિના પ્રચાર અને પ્રસાર અંતર્ગત, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના સૂચનથી વાંકાનેર તાલુકાના મહિકા ગમે આવતી કાલે એટલે તા. ૬/૮/૨૦૨૨ ના રોજ મહીકા તાલુકા શાળામાં નિશુલ્ક સર્વ રોગ હોમીઓપેથી સારવાર કેમ્પ નું આયોજન કરેલ છે.

આ કેમ્પમાં સરકારી હોમિયોપથી દવાખાના જોધપરના ઈ/ચા મેડિકલ ઓફિસર ડો. જે.પી. ઠાકર દર્દીઓને તાપસીને નિશુલ્ક હોમીઓપેથી સારવાર આપશે. જેમાં નીચે મુજબના રોગોની સારવાર આપવામાં આવશે.
(૧) ચામડી ના રોગો :- ધાધર, ખીલ, ખરજવા, ખસ સોરિયાસિસ વિગેરે.
(૨) પેટ આંતરડા ના રોગો :- એસીડિટી, અજીર્ણ, ગેસ, વાયુ, કબજિયાત, મરડો, હરસ, મસા, ફિશર, ભગંદર વિગેરે.
(૩) સાંધા ના રોગો :- ખભા , કાંડા, કોણી , કમર, ગોઠણ નો દુખાવો, સાયટિકા ,વિગેરે.
(૪) કિડની તથા પિત્તાશયની પથરી.
આ ઉપરાંત માથા ના દુખાવો આધાશીશી, કે અન્ય ચેતાતંતુ ને લગતા રોગો, બીપી, ડાયાબિટીસ પથરી વિગેરે…

નોંધ :-જૂના રિપોર્ટ ની ફાઈલ સાથે લાવવા વિનંતી બબ
સ્થળ:- તાલુકા શાળા મહીકા તા=વાંકાનેર જી=મોરબી
સમય:- સવારે ૯ થી ૧

આ સમાચારને શેર કરો