ટંકારા તાલુકાના હડમતિયા અને સજનપર ગામમાં નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

ઉમિયા માતાજી મંદિર સીદસર દ્વારા ટંકારા તાલુકાના હડમતીયા ગામ અને સજનપર ગામમાં સર્વ જ્ઞાતિજનો માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જે કેમ્પમાં થાક લાગવો, હાથ પગની ખાલી ચડવી, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો થવો, ગોઠણ અને સાંધાના દુખાવા, વાળ ખરવા તેમજ ડીપ્રેશન સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત વજન, ઊંચાઈ, ટેમ્પરેચર, ઓક્સીજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડ પ્રેશર ચેકઅપ કરી આપવામાં આવ્યા હતા

કેમ્પનો સજનપર ગામના ૧૮૫ અને હડમતીયા ગામના ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

આ સમાચારને શેર કરો