રવિવારે રિલીફ હોસ્પિટલમા સેલબી હોસ્પિટલ અમદાવાદ દ્વારા સાંધા અને કરોડરજ્જુનો ફ્રી નિદાન કેમ્પ

વાંકાનેર: આગામી તારીખ ૨૮મી ઓગસ્ટ ને રવિવારે રીલીફ હોસ્પિટલ ખાતે ઘૂંટણ,સાંધા અને કરોડરજ્જુનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અને રિલીફ હોસ્પિટલ વાંકાનેરના સહયોગથી વાંકાનેરમાં રિલીફ હોસ્પિટલ ખાતે ઘૂંટણ, સાંધા તથા કરોડરજજુ સમ્બંધિત સમસ્યાઓ વાળા દર્દીઓ માટે એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન તા.28/08/2022 ને રવિવારે કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સાંધાના દુખાવા, મણકાની તકલીફનું નિદાન અને સારવાર તદ્દન ફ્રી કરવામાં આવશે. આ નિદાન કેમ્પમાં અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટરો નિદાન કરશે જેમાં (1) ડૉ. નીતિન બુદ્ધદેવ (વરિષ્ઠ ઘૂંટણ અને સાંધાના નિષ્ણાત) (2) ડૉ. ભાવિક પટેલ (કરોડરજ્જુના નિષ્ણાત) (3)ડૉ. અજીત ગોહિલ (ડૉ વિક્રમ શાહના સહયોગી) સેવા આપશે.
ઉપરોક્ત મુજબની જે લોકોને તકલીફ હોય તેઓએ આ કેમ્પમાં અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર પાસે નિદાન કરાવવા માંગતા હોય તેઓએ અગાઉથી નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવું… રજિસ્ટ્રેશન કરાવેલ દર્દીઓનો પ્રથમ વારો લેવામાં આવશે અને જે દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેઓનું પણ નિદાન કરી આપવામાં આવશે… રજીસ્ટ્રેશન માટે આ નંબર પર ફોન કરો… 9512008155 / 7069001001 / 9924507133
(નોંધ: અહીં નિદાન કરાવવા આવો ત્યારે જો જુના રિપોર્ટ્સ હોય તો સાથે લેતા આવવા)
કેમ્પનું સ્થળ :-
“રિલીફ હોસ્પિટલ
માં હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાની બાજુ વાળી શેરી, 27 નેશનલ હાઇવે વાંકાનેર.
સમય: સવારે ૧૦ થી બપોરે ૧ સુધી (તા.28/08/2022, રવિવાર)
આ સમાચારને શેર કરો