Placeholder canvas

વાંકાનેર: દલડી અને ખીજડીયા ગામે 50થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ અસર.

વાંકાનેર: આજે દલડી ગામ ખાતે બે અલગ અલગ જગ્યાએ મરણ બાદની ધાર્મિક વિધિમાં લોકો આવ્યા હતા અને ત્યાં જમ્યા બાદ કેટલાક લોકોને ફૂડ પોઇઝનિંગ અસર થઈ હતી. જેમાં ઝાડા અને ઉલટી થયા હતા.

આવી જ રીતે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે એક સગાઈ નો પ્રસંગ હતો તેમાં આવેલા 40 થી 50 લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું જેમને ગામમાં સારવાર આપવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં ટી એચ ઓ ડો. આરીફ શેરસિયાએ દલડી પીએચસી અને ખીજડિયામા લોકોને તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થા કરી આપી હતી. કેટલાક લોકો આ ઉપરાંત વાંકાનેર અને મહીકા, સિંધાવદર ખાતે ખાનગી ડોક્ટર પાસે પણ સારવાર લીધી હતી.

આ સમાચારને શેર કરો