ચોટીલાના સ્મશાનમાં રાત્રીનાં અચાનક આગ લાગી!
ચોટીલા ખાતે સ્મશાન ભૂમિમાં રાત્રીના અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને આગ વિકરાળ બની હતી પરંતુ જ્યાં આજુબાજુના લોકોને જાણકારી મળતા તાત્કાલિક અસર એ સમસાન ભૂમિમાં આગ ઓલવવા માટે પહોંચી ગયા હતા અને લોકો પાણીનો મારો એકધારો ચલાવતા કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આ કાબુમાં આવી હતી.
રાત્રિના સમયે સ્મશાન ભૂમિમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે હાલમાં રાત્રિના સમયે લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુ કરી હતી તેવું જાણવા મળે છે પરંતુ લાગેલી આગમાં કોઈપણ પ્રકારની નુકસાની કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.