Placeholder canvas

વાંકાનેર:અમરસર ગામે ભરવાડ અને ખેડૂત વચ્ચે મારામારી

વાંકાનેર: આજે તાલુકાના અમરસર ગામે સીમ વિસ્તારમાં ભરવાડ અને ખેડૂતો વચ્ચે ઢોર ચરાવવા બાબતે માથાકુટ થઇ હતી અને તેમાં મારામારી થવાથી દશેક વ્યક્તિને ઈજા થતાં વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે આજે બપોરના સમયે ખેડૂતોને ભરવાડ વચ્ચે ઢોર ચરાવવા બાબતે ઝઘડો થતાં તેમાં મારામારી થઈ હતી. આ મારામારીમાં છ જેટલા ખેડૂતોને ઈજા પહોંચી હતી તેઓને વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે.

જ્યારે સામા પક્ષે ભરવાડમાં પણ ચારથી પાંચ વ્યક્તિને ઈજા થવાથી તેઓને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અમરસર ગામે દોડી ગઈ હતી અને સ્થિતિ વણસે નહીં એ માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો