Placeholder canvas

ખેડૂતે મોદીની માતા હીરાબાને લખ્યો ભાવુક પત્ર, કહ્યું તમારી વાત નહીં ટાળે

પંજાબના ખેડૂતે પોતાના જેવા હજારો ખેડૂતોની સાથે મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શન કરીને પીએમ મોદીના માતા હીરાબેન મોદીને એક ભાવુક પત્ર લખ્યો છે. તેમાં તેઓએ પોતાના દીકરાને કૃષિ કાયદાને પરત લેવાની માંગણી કરી છે. જેના કારણે દેશમાં મોટું આંદોલન ચાલી રહ્યું છે. તેઓએ પત્રમાં આશા રાખી છે કે તેઓ પીએમ મોદીને તેમનું મન બદલવા માટે દરેક શક્તિઓનો ઉપયોગ એક માતાના રૂપમાં ભલામણ કરે.

પંજાબના હરપ્રિત સિંહે હિન્દીમાં હીરા બાને લખ્યો છે પત્ર
પંજાબના ફિરોઝપુરમાં ગામ ગોલૂના મોઢના રહેનારા હરપ્રીત સિંહે હિંદીમાં આ પત્ર લખ્યો છે. તેઓએ 100 વર્ષના હીરાબાને અપીલ કરી છે કે ભાવનાત્મક બિંદુઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે જે હવામાનની સ્થિતિ વચ્ચે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કાયદાને નિરસ્ત કરવાની માંગની લોકપ્રિય પ્રકૃતિ, દેશમાં ભૂખ મિટાવવા માટે ખેડૂતોનું યોગદાન અને દેશની સીમાઓ સુરક્ષિત રાખવામાં તેમના યોગદાનને લેટરમાં આવરી લેવાયા છે.

સિંહે વઘુમાં લખ્યું છે કે આ પત્ર હું ભારે મનથી લખી રહ્યો છે. જેમ કે તમે જાણો છો તેમ દેશ અને દુનિયાને ખવડાવનારા અન્નદાતા 3 કાળા કાયદાના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં દિલ્હીની સડકો પર સૂવા મજબૂર બન્યા છે. તેમાં 90-95 વર્ષના વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઠંડી લોકોને બીમાર કરી રહી છે અને સાથે જે ખેડૂતો શહીદ થઈ રહ્યા છે તેમને લઈને પણ ચિંતા વધી રહી છે. આ સાથે દિલ્હીની સીમાઓ પર શાંતિપૂર્ણ આંદોલન 3 કાળા કાયદાના કારણે થયું છે. જે અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ લોકોના ઈશારે પારિત કરાયા છે.

સિંહે કહ્યું કે ખેડૂતો આંદોલનમાં સામેલ છે તે સીમા પર લગભગ 2 મહિનાથી વિરોધ કરી રહ્યા છે. સાથે જ સરકાર સાથે અનેક વારની વાતચીત થઈ છે પણ કોઈ સફળતા મળી નથી. ખેડૂતોના આંદોલનના કારણે 75થી વધુ પ્રદર્શનકારીઓના જીવ ગયા છે. તેમાંથી કેટલાકે તો આત્મહત્યા કરી છે.

તેઓએ પત્રમાં લખ્યું છે કે મને આશા અને વિશ્વાસ છે કે તમારો દીકરો પીએમ છે અને તમે તેને આ કાયદાને નિરસ્ત કરવા કહી શકો છો. મને લાગે છે કે કોઈ પોતાની માતાને ના પાડી શકે નહીં. તેઓએ લખ્યું છે કે જો આ શક્ય બનશે તો આખો દેશ તમને ધન્યવાદ કહેશે. ફક્ત એક મા જ પોતાના દીકરાને આદેશ આપી શકે છે.

આ સમાચારને શેર કરો