Placeholder canvas

વાંકાનેર: પ્રતાપગઢમાં ખેત મજૂર વાડીના કુવામાં પડી જતા મોત

વાંકાનેર : વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમા આવેલા ખેડૂતની વાડીમાં આવેલા કુવામાં પરપ્રાંત્ય મજૂર પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની મળેલ માહિતી મુજબ હાલ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની છીતુસીંગ કાલુભાઇ અજનાર (ઉ.વ.૩૫) નામનો શ્રમિક ગઈકાલે તા.૨૧ ના રોજ કોઇ કારણોસર પ્રતાપગઢ ગામની સીમમાં ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ આવેલા કુવામાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બાદમાં શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો