Placeholder canvas

વિશ્વ પર્યાવરણ દિવસે પૂર્વ પર્યાવરણ મંત્રીને શ્રદ્ધાંજલ્લી પાઠવી પર્યાવરણ દિવસની ઉજવણી કરાય

વાંકાનેર: આજ રોજ તારીખ 05/06/2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજીના વડપણ હેઠળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટી. એન. દઢાણીયા અને સાણજા ના માર્ગદર્શન મુજબ વાંકાનેરના મહારાણા રાજ સાહેબ સ્વ.ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલા કે જેવો ભારત સરકારના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા અને તેઓએ દેશમાં પ્રથમ પર્યાવરણ મંત્રાલય શરૂ કરાવેલ તેમને શ્રદ્ધાંજલિ રૂપે ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, સંતો-મહંતો, સરપંચો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્ય , પાર્ટીના હોદ્દેદારો તેમજ ધાર્મિક સંસ્થાના વડા હાજર રહ્યા હતા.

આગામી ચોમાસા દરમિયાન વાંકાનેર શહેર તથા તાલુકામાં 20000 ( વીસ હજાર ) વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરવાનો સંકલ્પ કરીને ગરાસીયા બોર્ડિંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવેલ અને વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે સૌના સહકારની કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો