Placeholder canvas

વાંકાનેર: પાણીની મોટરમાંથી વિજશોક લાગતા પરિણીતાનું મોત

વાંકાનેર : વાંકાનેર મીલપ્લોટ વિસ્તારમાં રહેતા પરિણીતાને પાણીની મોટરમાથી વિજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના શાંતિનગર મીલપ્લોટમાં રહેતા કોમલબેન સંજયભાઇ રંગપરા પોતાના ઘેર પાણીની મોટર ચાલુ કરતા વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. પરિણીતાને ચાર વર્ષમાં લગ્ન જીવનમાં બે સંતાનો હોય બન્નેએ માતાની છત્રછાયા ગુમાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક ત્રણ વર્ષની બાળકી અને નવ માસનો બાળક હોવાનું ખુલ્યું છે. પરિણીતાના મૃત્યુથી બન્નેએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો