Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ગુરુવારથી રવિવાર સુધી રજા રહેશે

વાંકાનેર: આગામી તારીખ 29/6/2023 ને ગુરુવારથી તારીખ 2/7/2023 ને રવિવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઇદની રજા રહેશે.

આગામી તારીખ 29/6/2023 ને ગુરુવારના રોજ ઈદ હોવાના કારણે તા. 29, 30 અને 1 તારીખની રજા રહેશે, જ્યારે બીજી તારીખે રવિવાર હોવાથી એ દિવસે પણ રજા રહેશે. આમ આગામી ગુરુવારથી રવિવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં સતત ચાર દિવસની રજા રહેશે. આ દિવસો દરમિયાન યાર્ડમાં કોઈપણ માલની ઉતરાય કરવા દેવામાં આવશે નહીં. જ્યારે તારીખ 2/7/2023ને રવિવારે ફરી ઉતરાય ચાલુ કરવામાં આવશે.

આ રજાની વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓ અને ખેડૂત ભાઈઓ નોંધ લે અને ખાસ કરીને ખેડૂત ભાઈ પોતાનો માલ વેચવા આવવાનું આયોજન એ મુજબ કરે. તેવુ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો