ઈદે મિલાદુન્નબી એટલે હઝરત મોહંમદ પેગંબર સાહેબનો જન્મ દિવસ…

ઈદ મિલાદ-ઉન-નબીને(Eid Milad-un-Nabi) હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ (Prophet Muhammad birth anniversary) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બંદગી કરવામાં આવે છે અને જુદી જુદી જગ્યાઓથી જુલૂસ પણ કાઢવામાં આવે છે.

દેશમાં આજે રવીવારે ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામના લોકો હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ તરીકે ઉજવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-અવ્વલના 12 માં દિવસે ઉજવવામાં આવે છે.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ, ઇસ્લામનો ત્રીજો મહિનો એટલે રબ્બીઉલ અવ્વલ શરૂ થયો છે. હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસે લોકો તેમની યાદમાં સરઘસ કાઢે છે. આ દિવસે વિવિધ સ્થળોએ મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

મોહંમદ પેગંબર સાહેબનો જન્મ

હઝરત મોહમ્મદ પેગંબર સાહેબનો જન્મ 12 મી 571 ઈ.સ.ના રોજ અરબી શહેર મક્કામાં થયો હતો. હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મ પહેલા જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. જ્યારે તે 6 વર્ષના હતા, ત્યારે તેની માતાનું પણ અવસાન થયું હતું. માતાના અવસાન પછી, હઝરત મોહમ્મદ પેગંબર સાહેબ તેના કાકા અબુ તાલિબ અને દાદા અબુ મુતાલિબ સાથે રહેવાનું શરૂ કર્યું. તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ અને માતાનું નામ બીબી અમીના હતું. અલ્લાહે હઝરત મોહમ્મદ પેગંબર સાહેબને પવિત્ર કુરાન આપ્યું હતું. ત્યાર બાદ હઝરત મોહમ્મદ પેગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના દરેક ખૂણે ખૂણે લઈ ગયા હતા.

ઈદે મિલાદ ઉન-નબીનું મહત્વ

ઈદ મિલાદ-ઉન-નબીને હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદા જુદા સ્થળોએથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. ઘરો અને મસ્જિદોમાં કુરાન પઢવામાં આવે છે. ઈદે મિલાદ-ઉન-નબીના પ્રસંગે ઘર અને મસ્જિદ શણગારવામાં આવે છે અને હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના સંદેશા વાંચવામાં આવે છે. હઝરત મોહમ્મદ પેગંબર સાહેબનો એક જ સંદેશ હતો કે માનવતામાં માનનાર જ મહાન છે. આ દિવસે લોકો ગરીબોને દાન પણ આપે છે. અને ન્યાજ બનાવે છે.

આ સમાચારને શેર કરો