Placeholder canvas

વાંકાનેર: દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તારીખ 20/01/2024 ના રોજ સહયોગ ક્રેડિટ કો ઓપરેટીવ બેન્ક ખાતે નશા મુ્કત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં વાંકાનેર સીટી PI સોલંકી, પ્રાંત અધિકારી વતિ કુલદીપસિંહ જાડેજા, નાયબ મામલતદાર મન્સૂરી, પ્રોબેસન અધિકાર મિલન પંડિત ,સમાજ સુરક્ષા ઓફીસમાંથી ભરત સોલંકી,નિવ્રુત્ત PSI અબ્બાસી, સ્વરાજ ડેરીના ચેરમેન ઈરફાનભાઈ શેરસીયા, કૃષિ નિષ્ણાત ડૉ. ગની ભાઈ પટેલ તેમજ પંચાશિયા હાઈસ્કુલ ના સમગ્ર સ્ટાફગણે હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો સ્વનિર્ભર બને તે માટે કુલ 29 અનાજ દળવાની ઘંટીનું વિતરણ મહાનુભાવો હસ્તક કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન કે. જી એન. એજ્યુકેશન ટ્રસ્ટ ના ચેરમેન, વાંકાનેર વિસ્તાર સમાજસેવક, દિવ્યાંગોને મદદરૂપ કરવા સતત તત્પર રહેતા એવા ડૉક્ટર હુસેનભાઈ શેરસીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનુ સંચાલન જાબિર શેરસીયાએ કર્યુ હતું.

આ સમાચારને શેર કરો