Placeholder canvas

ટંકારામાં આમ આદમી પાર્ટીએ તહેવારોમાં મીઠાઈ,ફરસાણ વિતરણ કર્યું.

“ગુજરાતમાં વિકાસને ખરી દિશામાં વળાંક આપવા માટે “આપ” નુ જન સંપર્ક શરૂ!”

By આરીફ દીવાન
ટંકારા: સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં લોકો મોંઘવારીથી ભારે ત્રસ્ત છે, એવા સમયે આમ આદમી પાર્ટી દ્વારા તહેવારોમાં ટંકારા ખાતે ગરીબ મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્ય મીઠાઈ ફરસાણ વિતરણ કરી કારમી મોંઘવારીમાં ગરીબ અને નાના માણસો પણ તહેવાર ઉજવી શકે અને ગરીબોના બસલકો પણ મીઠાઈ ખાઈ શકે એવા હેતુથી ટંકારા “આપ” આગળ આવ્યું છે.

ટંકારા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા જરૂરત મંદ વ્યક્તિઓને ફરસાણ અને મીઠાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં 66 ટંકારા પડધરી વિધાનસભાના સંગઠન મંત્રી નરેશભાઈ પ્રજાપતિ તેમજ સહ સંગઠન મંત્રી ધર્મેન્દ્રભાઈ કકકડ, શૈલેષભાઈ પ્રજાપતિ,શૈલેષભાઈ ધોરીયાણી, અને અલ્તાફભાઈ અને આપનત આગેવાનો સાતમ આઠમના તહેવારો અંતર્ગત તારીખ 17/8/2022ના રોજથી ફરસાણ મીઠાઈનું વિતરણ શરૂ કર્યું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો