Placeholder canvas

વાંકાનેર: મહિકા ગામની સીમમાં દીપડાએ રાત્રે મારણ કર્યું…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો અવારનવાર જુદા જુદા ગામમાં દેખા આપી રહ્યો છે એમને પાંજેર પુરવાના ફોરેસ્ટ વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે પણ હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. હજુ બે દિવસ પૂર્વે વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે દીપડાએ દેખાતી હતી અને મારણ કર્યું હતું ત્યારે ફરી પાછો ગઈ રાત્રે મહેકા ગામની સીમમાં દિપડો એ મારણ કર્યાના સમાચાર સામે આવ્યા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામની દીપળાધાર નામની સીમમાં ગત રાત્રે મહેપાલભાઈ મેહુરભાઈ મૂંધવાના બે વાછરડા પર હુમલો કર્યો હતો જેમાં એક હાલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યું છે જ્યારે બીજા વાછરડાને દીપડો દૂર લઈ જઈને તેમનું મરણ કર્યું હતું.

આ બનાવની જાણ ફોરેસ્ટ અધિકારી પનારાને કરતા તેઓ ઘટના સ્થળે ગયા હતા અને તેઓએ આજે પાંજરૂ મૂકીને દીપડાને પકડવા માટે પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

આ સમાચારને શેર કરો