Placeholder canvas

વાંકાનેરના ધમલપર ગામે સંતશ્રી વેલનાથ શોભાયાત્રાનું આયોજન કરાયું

વાંકાનેર તાલુકાના ધમલપર ગામે સંતશ્રી વેલનાથ બાપુની શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોએ જોડાવવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે

તા. ૦૬ ના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિતે નવા ધમલપર શ્રી ગેલ માતાજી મંદિર ખાતેથી સંતશ્રી વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે જે શોભાયાત્રા બપોરે ૩ કલાકે પ્રસ્થાન કરશે અને શોભાયાત્રા હસનપર, શક્તિપરા, મિલ સોસાયટી, વિસીપરા થઈને ધમલપર ૨ વેલનાથ બાપુ મંદિર ખાતે પૂર્ણ થશે જે શોભાયાત્રામાં જોડાવવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

વધુ માહિતી માટે 98256 53000,  90674 73866 , 98700 63324, 93750 56545 , 97273 35718, 74055 35729 , 98799 97519 પર સંપર્ક કરી શકાશે.

આ સમાચારને શેર કરો