Placeholder canvas

વાંકાનેર: ધમલપરમાં પત્નીએ ઘેનની ટીકડી પિવાની ના પાડી તો પતિએ એસિડ પીઇ લીધું !

વાંકાનેર તાલુકાના ધમલપર ગામેં રહેત યુવાન અવારનવાર ઘેનના ટીકડા પીતો હોવાથી તેની પત્નીને ઘેનની ગોળી નહીં લેવાનું કહેતા, આ બાબતે લાગી આવતા યુવાને જાતે એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામમાં રહેતા વિજયભાઇ દાનજીભાઇ માણસુરીયા (ઉ.વ. ૩૫) નામનો યુવાન અવાર-નવાર વધુ પડતાં નિંદરના ટીકડા પિતો હોય, જેથી તેમના પત્ની સુમિત્રાબેને ઘેનની ગોળીઓ નહીં લેવા કહેતા આ બાબતનું વિજયભાઇને લાગી આવતા ગત તા. ૨૭ના રોજ પોતે જાતે એસિડ ગટગટાવી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ સમાચારને શેર કરો