skip to content

વાંકાનેર: ડેંગ્યૂથી એક વાળંદ યુવાનનું મૃત્યુ

વાંકાનેર: આજે ડેન્ગ્યુના કારણે વાંકાનેરના એક વાણંદ યુવાન નું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જીનપરા મેઈન રોડ ઉપર લીમડાચોક ખાતે દેવ જેન્સ પાર્લર નામે પાર્લર ચલાવતા પ્રવીણભાઈ ગોરધનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 46ને થોડા સમયથી તાવ આવતો હતો જેમની તપાસ કરાવતા ડેન્ગ્યુ હોવાનું માલુમ થયું હતું જેમને રાજકોટની એક પ્રાઈવેટ હોસ્પિટલ માં એક અઠવાડિયાની સારવાર બાદ આજે સવારે મૃત્યુ થયેલ છે.

પ્રવિણભાઇ રાઠોડ એ દેવ જેન્ટસ પાર્લરના માલિક હતા અને જીનપરા ચોક ખાતે આવેલ દેવું હેર સ્ટાઈલ વાળા ગિરીશભાઇ અને રાજુભાઈ ના ભાઈ થાય પ્રવીણભાઈ તેમની પાછળ તેમના એક પત્ની એક પુત્ર અને એક પુત્રી ને છોડી ગયા છે તેમની અંતિમયાત્રા આજે બપોરના 1:30 નીકળશે…

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો