ટંકારા : મધ્યાહ્ન ભોજન યોજનાથી વંચિત સરકારી શાળાના છાત્રોને રાશન તથા કન્ટીજન્શી રકમ ફાળવવાની માંગ
ટંકારા : ટંકારાના હડમતિયા ગામના સામાજીક કાર્યકર અને પુર્વ એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે છેલ્લા ૨૫ વર્ષથી સંકળાયેલા રમેશ ઠાકોરે સરકારને મધ્યાહ્ન ભોજન યોજનાથી વંચિત સરકારી શાળાના ગરીબ તેમજ આદિવાસી શ્રમજીવી પરિવારના બાળકોને મધ્યાહન ભોજન અંતર્ગત અન્નનો જથ્થો તેમજ કન્ટીજન્શીની રકમ તાત્કાલિક ફાળવવા અનુરોધ કર્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/04/IMG-20200314-WA0011_copy_576x568-1.jpg)
તેઓના જણાવ્યા અનુસાર, ટંકારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાન ભોજનના જથ્થાનો લાભ સરકારએ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપ્યો તે પ્રસંશનીય છે પરંતુ ટંકારા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ એવી પણ છે જયાં મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી. ત્યાં પણ ગરીબ બાળકો અભ્યાસ કરે છે. તે બાળકોને પણ મળતો અનાજનો જથ્થો તથા કન્ટીજન્સીની રકમ મળવા અંગે અમરાપર ધાર પ્રાથમિક શાળા, નવા રાજાવડ પ્રાથમિક શાળા, દેવળિયા પ્રાથમિક શાળા, ઉમિયા નગર પ્રાથમિક શાળા ઉપરોક્ત ચારેય શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ હોય અને શાળા સરકારી હોય સરકારના તંત્રના વાંકે મધ્યાન ભોજન બંધ હોય તો અન્ય શાળામાં મધ્યાન ભોજન ચાલુ હોય, જે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પણ મળ્યો છે. તો ઉપરોક્ત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મળવો જરૂરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/04/20200328_131229_copy_432x393.jpg)
વધુમાં તેઓએ જણાવેલ કે આવી મોરબી જીલ્લામાં અનેક શાળાઓ હશે. જયાં ખરેખર જે શાળામાં એમ.ડી.એમ ચાલુ હોય તે શાળાના બાળકોને મળતા તમામ લાભો તેમજ એમ. ડી. એમ બંધ હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મધ્યાહન ભોજન અંતર્ગત અન્નનો જથ્થો તેમજ શાકભાજીના કન્ટીજન્શીના રોકડ રકમ મળવી જરૂરી છે. બીજા અનેક લાભો જેવા કે પુસ્તકો, શિષ્યવૃતિ વગેરે તમામ સરકારી શાળામાં ભણતા વિધાર્થીઓને મળે છે તેમ કોરોનાને કારણે મળતા દરેક લાભો તમામ વિધાર્થીઓને પણ મળવા જરૂરી છે તો જ સરકાર ખરા અર્થમાં સરકારી શિક્ષણને પ્રોત્સાહન આપે છે તે પુરવાર થશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ કન્ટીજન્શી (શાકભાજી)ની રકમ વિધાર્થીદીઠ આશરે ૧૦૦ થી ૧૫૦ મળવાપાત્ર રકમ બેંક એકાઉંન્ટના બદલે રોકડ ચુકવાય તો સરકારના જાહેરનામાનો બેંકોમાં પણ ભંગ નહી થાય અને અમુક વિધાર્થીઓના ખાતા પણ નથી ખુલ્યા તેવા વિધાર્થીઓને પણ ન્યાય મળશે.
કપ્તાનનું ફેસબુક પેજ લાઇક કરો, લાઈક કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….
https://Facebook.com/kaptaannews
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)