Placeholder canvas

વાંકાનેર: વીજ શોક લાગતા શ્રમિકનું મોત.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા નજીક આવેલ ક્યૂટોન સીરામીક ફેક્ટરીની બાજુમાં ઇલેક્ટ્રિક કામ કરતા એક વ્યક્તિને ઈલેક્ટ્રીક શોક લાગતા તેઓનું મૃત્યુ થયું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા નજીક આવેલ ક્યૂટોન સીરામીક ફેક્ટરીની બાજુમાં ઇલેક્ટ્રીક કામ કરતી વેળાએ અર્જુનસીહ ભુપતસીહ બારીયા ઉ.30 નામના શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

આ સમાચારને શેર કરો