વાંકાનેર: ન્યુઝ પેપર એજન્ટ અને પત્રકાર નિલેશભાઈ ચંદારાણાનું દુઃખદ અવસાન
તેઓની સ્મશાન યાત્રા આજે સવારે ૧૦ વાગ્યે તેઓના વાંકાનેરના નિવાસસ્થાનથી નિકળશે.
વાંકાનેર: ન્યુઝ પેપર એજન્ટ અને પત્રકાર નિલેશભાઈ ચંદારાણાનું દુઃખદ અવસાન થયું છે. તેઓની સ્મશાન યાત્રા સવારે ૧૦ :૦૦ વાગ્યે તેના નિવાસસ્થાન જડેશ્વર રોડ,સરકારી હોસ્પિટલ સામે વાંકાનેર ખાતે થી નિકળનાર છે .
વાંકાનેરના એક સિનિયર પત્રકાર તરીકે જાણીતા અને લોકો સાથે મળતાવળા સ્વભાવના નિલેશભાઈ ચંદારાણા ગઈ કાલે એસટી મારફત રાજકોટ જઇ રહયા હતા એ દરમિયાન ગત રાત્રે 8 વાગ્યાના આસપાસ બસમાંથી નીચે ઉતર્યા બાદ અચાનક જ હાર્ટ અટેક આવી જતા નિલેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
મિલનસાર સ્વભાવ ધરાવતા નિલેશભાઈની અણધારી વિદાયથી તેઓના પરિવાર અને પત્રકાર જગત અને મિત્રો વર્તુળમાં તેમજ વાંકાનેરમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. વાંકાનેરના પત્રકાર ક્ષેત્રમાં મોટી ખોટ આવી છે.