Placeholder canvas

ગાંધીધામ પાસે થયેલ અકસ્માતમાં પંચાસીયાના દેવીપુજક બાપ-દીકરા સહિત ચારના મોત, એક ઇજાગ્રસ્ત

વાંકાનેર: કચ્છમાં માતાના મઢચી દર્શન કરીને મોરબી પરત ફરી રહેલાં પરિવારને ગાંધીધામ નજીક પડાણા ગામ પાસે જીવલેણ અકસ્માત નડ્યો હતો, રીક્ષામાં બેસીને પરત જતી વખતે પાછળથી માતેલા સાંઢ જેવા અજાણ્યા ટ્રક-ટ્રેલરે ટક્કર મારતાં ઘટના સ્થળે જ બે બાળકોના મૃત્યુ નીપજ્યાં છે જ્યારે અન્ય લોકોને હળવી-ગંભીર ઈજા થઈ હતી. જેમાંથી પણ બે વ્યક્તિના મોત થયેલ છે. આમ કુલ 4ના મૃત્યુ અને 1ને ઇજા પહોંચી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર પડાણા નજીક અજમેરી હોટેલ સામેના હાઈવે પર તા.22ની સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રીક્ષામાં સવાર લોકોને ગંભીર ઈજા થવાથી 2 બાળકો સહિત 4ના મૃત્યુ નીપજયાં છે. ઘટના અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં ખસેડાયાં છે. અકસ્માત સરજીયા બાદ ટ્રેલરચાલક વાહન સમેત સ્થળ પરથી નાસી છૂટયો હતો.

વધુમાં મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં પંચાસિયા ગામના દેવીપુજક રસિકભાઈ કેશુભાઈ (ઉ.વ.28) અને તેમનો પુત્ર દેવીપુજક જયદીપ રસિકભાઈ (ઉ.વ.8) અને રસિકભાઈના સસરા કાનાભાઈ (રહે આણંદપર રાજકોટ) રસિકભાઈના સાઢુભાઈ નો દીકરો આ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે, જ્યારે રસિકભાઈની પત્ની નર્મદાબેનને ગંભીર ઈજા પહોંચી હતી.

પંચસિયાના મૃતક બાપ- દીકરો

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

આ સમાચારને શેર કરો