Placeholder canvas

વાંકાનેર: ગારિયામાં વાડીએ દવા છાંટતી વખતે ઝેરી અસર થતા યુવાનનું સારવાર દરમિયાન મોત

વાંકાનેર: ગારિયા ગામે યુવાન ખેતરમાં દવાનો છાંટતી વખતે પાણીની તરસ લાગતા ઝેરી દવા વાળા ડબલથી પાણી પી લેતા ઝેરી અસર થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા (૩૭) પોતાની વાડીએ ઝેરી દવાનો છંટકાવ કરવાની કામગીરી કરતાં હતા ત્યારે તેને પાણીની તરસ લાગતા પાણી ઝેરી દવા વાળા ડબલથી પી ગયા હોવાના કારણે શક્તિસિંહ વાળાને ઝેરી અસર થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો