Placeholder canvas

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાંથી યુવાનની લાસ મળી.

વાંકાનેર : તાલુકાના તીથવા ગામની સીમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની તપાસ શરૂ કરી છે.

બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં બાદી માહમદભાઈની વાડીએથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતક યુવાન સુરજકુમાર વિષ્ણુભાઈ યાદવ (ઉ.વ. ૨૫)

આ યુવાન તીથવાના ભાંગેશ્વર રોડ પર અવેલ બાદી માહમદભાઈની વાડીએ, રહેતો હતો, હાલ તેની લાસ મળી આવી છે. આ યુવાનના મોતનું કારણ જાણી શકાયું નથી પરંતુ મૃતકને કોઈ અગમ્ય કારણોસર મોઢે ફીણ આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયુ હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીયો હતો, તપાસ પી. ડી. જાડેજા ચલાવી રહ્યાં છે…

આ સમાચારને શેર કરો