રાજકોટમાં સ્મશાનના લાકડામાં ભ્રષ્ટાચાર !, મૃતક લોકોનો હક પણ ન છોડ્યો.

માંનવતાને શરમાવે તેવું કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં કૌભાંડીઓએ હવે સ્મશાનના લાકડાં પણ છોડ્યા નથી. ગાર્ડન શાખાએ 32 ગાડીઓ લાકડાની સ્મશાનોમાં મોકલ્યાનું ચોપડા પર નોંધ્યું છે. પરંતુ લાકડાં સ્મશાનો સુધી પહોંચ્યા જ નથી અને બહાર વહીવટ થઈ ગયો. જેનો વિપક્ષ નેતાએ પર્દાફાશ કર્યો છે. આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં જન્માષ્ટમી દરમિયાન ભારે વરસાદના કારણે શહેરમાં 600 વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જેનું રાજકોટની ગાર્ડન શાખા દ્વારા કટિંગ કરવામાં આવ્યું હતું. એ લાકડા શહેરમાં નાના મોવા, પોપટ પરા, બાપુનગર, મવડી અને રૈયા ગામના સ્મશાનમાં આ લાકડાના 32 ટ્રેક્ટરો મોકલવામાં આવ્યાં હતાં. આવું ચોપડે નોંધાયું છે. જ્યાંથી જાણવા મળ્યું કે, ગાર્ડન શાખાએ અહીં જે 3 ટ્રેક્ટર લાકડા મોકલ્યાં હતાં. તેમાંથી એકપણ લાકડું સ્મશાનમાં પહોચ્યું જ નથી. સવાલ અહીં એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે, જ્યાં એક દિવસ દરેક વ્યક્તિને જવાનું છે. જેને અંતિમધામ કહેવામાં આવે છે. તેવા સ્મશાનને પણ હવે ભ્રષ્ટાચારીઓએ છોડ્યું નથી. થોડી તો શરમ કરવી હતી. એક દિવસ તમારે પણ ત્યાં જ જવાનું છે. આ તો કૌભાંડની હદ થઈ ગઈ.

આ કૌભાંડ મુદ્દે આજે શહેર કોંગ્રેસે લાકડાં સાથે વિરોધ પણ નોંધાવ્યો. સાથે જ RMCના મૌન સામે સવાલો ઉઠાવ્યા. અહીં લાકડાંનું કૌભાંડ થયું છે તે વાત તો સ્પષ્ટ છે. કૌભાંડ…કૌભાંડ.. કૌભાંડ.. હવે ભ્રષ્ટાચારીઓએ તો મરણનો મલાજો પણ ન જાળવ્યો. RMCની શાખ પર અગ્નિકાંડથી દાગ લાગ્યો છતાં તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો ક્યારે અટકશે તે પણ સૌથી મોટો સવાલ છે.

આ સમાચારને શેર કરો