મોરબી: કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈના કારખાનામાં હુમલો
મતદાનને આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે મોરબી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલના સિરામિક કારખાનામાં અજાણ્યા ઇસમોએ આવી પથ્થર અને ધોકા પાઈપ વડે આતંક મચાવી હુમલો કરી નુકશાન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
મોરબી-માળિયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે પટેલનું ભડિયાદ રોડ પર વિન્ટેજ સિરામિક કારખાનું આવેલ હોય જ્યાં આજે સાંજના ૪ થી ૦૪ : ૩૦ કલાકના અરસામાં અજાણ્યા ઇસમોએ આવીને પથ્થરમારો કરી તેમજ ધોકા અને પાઈપથી આતંક મચાવ્યો હતો
જે બનાવમાં ફેકટરીના ગેટ પર કેબીનના કાચ તોડી ઈસમો નાસી ગયા હતા હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આતંક મચાવી નાસી ગયા હતા ભય ફેલાવવાના ઈરાદે હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે