Placeholder canvas

સોશિયલ મીડિયા હાસ્ય કલાકાર “રમતો જોગી” આવતી કાલે મોરબીમાં

સોશીયલ મીડીયા ની અંદર “રમતો જોગી” થી પોતાની ખ્યાતિ મેળવેલ કિરણ ખોખાણી આવતી કાલે મોરબી પધારી રહ્યા છે.

કિરણ ખોખાણી આમ આદમી પાર્ટીના બેનર હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડે અને પ્રચંડ મતોથી વિજય મેળવે હાલ તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સદસ્ય છે તેઓ આવતીકાલે મોરબી ખાતે ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ રોડ પધારી રહ્યા છે.

કિરણ ખોખાણી નો આમ આદમી પાર્ટીના કાર્યક્રમ “જન સંવાદ” રૂપે છે આકાર્યક્રમમાં આમ જનતા સાથે કિરણ ખોખર ચર્ચા કરશે જેમાં મુખ્ય મુદ્દો એ પણ રહેશે કે ગુજરાતની જનતાને કઈ પ્રકારની સરકાર જોઈએ છે ?
આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતું શિક્ષણ સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સારી સેવાઓ આપવાનો રહ્યો છે દિલ્હી બાદ પંજાબમાં પણ લોકોને ભારતના બંધારણ મુજબ સારી સુવિધાઓ મળી રહી છે ત્યારે આ અંગે ગુજરાત શું ઈચ્છી રહ્યું છે તેનો આ કાર્યક્રમમાં “જન સંવાદ” કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા તમામ જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે આ કાર્યક્રમ ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ ખાતે યોજાશે.

આ સમાચારને શેર કરો