કલેકટરનું જાહેરનામું: ચા-નાસ્તાની લારીઓ બંધ, પાનની દુકાને માત્ર પાર્સલથી વેચાણ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
મોરબી : મોરબીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે કોરનાના સંક્રમણ ઉપર કાબુ મેળવવા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું બહાર પાડી ચા અને નાસ્તાની લારીઓ ખોલવા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ પાન-માવાની દુકાનોએથી માત્ર પાર્સલનું વેચાણ કરવાના અને ચારથી વધુ વ્યક્તિઓને દુકાને ભેગા થવા પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત મામલતદાર કચરીઓમાં અરાજદારોની ભીડ થતા જનસેવા કેન્દ્રોમાં મર્યાદિત સેવા કરી નાખવામાં આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આજે બહાર પડાયેલા નવા જાહેરનામામાં આદેશ કરાયો છે કે પાન, ગુટખા, તમાકુના દુકાનદારે પાન, ગુટખા, તમાકુ વિગેરેનું વેચાણ પાર્સલથી જ કરવાનું રહેશે. તથા દુકાનો ઉપર બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવાનું રેહશે અને એકી સાથે ચારથી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન ઉપર હાજર રહી શકશે નહીં. તથા દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે 1 વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રેહશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
જ્યારે આ ઉપરાંત જાહેર સ્થળોએ પાન,માવા, તમાકુ અને ગુટખાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ મોરબી જિલ્લામાં ચા, કોફી અને નાસ્તાની લારીઓ બંધ રાખવાના આદેશ કર્યા છે. આ જાહેરનામું સમગ્ર મોરબી જિલ્લામાં 31 જુલાઈ સુધી અમલી રેહશે. આ જાહેરનામાના ભંગ કરનાર સામે 188ની કલમ મુજબ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
આ ઉપરાંત કલેકટર તંત્ર દ્વારા મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો ઉપર અરજદારોની ભીડ એકઠી થતી હોવાથી જન સેવા કેન્દ્રોની કામગીરી મર્યાદિત કરવાના આદેશ કર્યા છે. જેમાં હવે આગામી 31 જુલાઈ સુધી સ્કૂલ અને અન્ય પ્રમાણપત્રો માટે આવક, જાતિ અને ક્રિમિલેયરના દાખલા તેમજ રેશનકાર્ડ અને આધારકાર્ડને લગતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
આ જાહેરનામું મોરબી જીલ્લાના સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગુ પડશે અને તેનો તા. ૧૩-૦૭-૨૦૨૦ થી ૩૧-૦૭-૨૦૨૦ સુધી અમલ કરવાનો રહેશે. મોરબી જીલ્લાના તમામ તાલુકાના સંબંધિત એકઝીકયુંટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારને ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિકૃત કરવામાં આવે છે. હુકમ ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ તથા લાગુ પડતી બીજી કાનૂની જોગવાઈઓ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન, અધિનિયમ ૨૦૦૫ ની કલમો ૫૧ થી ૬૦ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)