Placeholder canvas

બદલી: જી.ટી.પંડયા મોરબીના નવા કલેકટર, જે.બી.પટેલ ગાંધીનગર મુકાયા

મોરબી: વિધાનસભા ચુંટણી પૂર્વે પોલીસ વિભાગ, મામલતદાર સહિતના અધિકારીની બદલીઓ કરવામાં આવી હતી અને હવે રાજ્યમાં આઈએએસની બદલી કરવામાં આવી રહી છે જેમાં રાજ્યના ૨૩ આઈએએસની બદલીના આજે આદેશ આપવામાં આવ્યા છે

આજે રાજ્યના ૨૩ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ, ભાવનગરના કલેકટર તરીકે રમેશભાઈ મેરજા, કચ્છ કલેકટર તરીકે દિલીપ રાણાની નિયુક્તિ કરવામાં આવી છે તો સંદીપ સાંગલેને ગાંધીનગર મનપાના નવા કમિશ્નર બનાવ્યા છે

જયારે મોરબીમાં નવા કલેકટર તરીકે જી ટી પંડ્યા મુકવામાં આવ્યા છે જયારે મોરબીના કલેકટર જે બી પટેલની બદલી ગાંધીનગર યુવા અને સાંસ્કૃતિક વિભાગના ડીરેક્ટર તરીકે કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

આ સમાચારને શેર કરો