થાનગઢમાં કોલસાની ખાણમાં મજૂરોને ગોંધી રખાતા…
ગુજરાતમાં મજૂરોને ગોંધી રાખી બળજબરી પૂર્વક મજૂરી કરાવાતી હોવાનો એક કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કોલસાની ખાણમાં ચાર મજૂરોને ગોંધી રાખી મજૂરી કરાવાતી હતી. મજૂરો રાત્રે ભાગી ન જાય તે માટે તેઓને સાંકળ વડે બાંધી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
આ સ્થિતિમાંથી બે મજૂર ભાગવામાં સફળ રહેતા અને પોલીસ સમક્ષ પહોંચી જતા પોલીસે ખાણ પર દરોડો પાડી મજૂરોને મુક્ત કરાવ્યા હતા. પોલીસ જ્યારે ખાણ પર પહોંચી ત્યારે બે મજૂરો સાંકળથી બાંધેલા મળી આવતા પોલીસે બંનેને મુક્ત કરાવ્યા હતા. આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.