Placeholder canvas

ચોટીલા: તળપદા કોળી સમાજને લોકસભાની ટિકિટ ન મળતા વિરોધમાં હાઈવે પર બેનરો લગાવાયા

ચોટીલા: લોકસભાની સુરેન્દ્રનગર બેઠક ઉપર કોળી સમાજને ટિકિટ ન મળવાના વિરોધમાં પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા હાઈવે પર બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેઠક પર ભાજપે સુવાળિયા કોળી સમાજના આગેવાનને ટિકિટ આપી છે, તેમના કારણે તળપદા કોળી તેમનો વિરોધ કરી રહ્યો છે અને તળપદા કોલીમાં ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે.

ભાજપે તેમની માંગ ન સંતોષતા અને તળપદા કોળી ને ટિકિટ ન આપતા તેના વિરોધમાં કોળી સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરો નેશનલ હાઈવે અને ચોટીલાથી જસદણ જતા રોડ પર બેનરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે.

જ્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોંગ્રેસે તળપાદા કોળી સમાજના શિક્ષિત આગેવાનને ટિકિટ આપી છે, હવે જોવાનું એ રહે છે કે લોકસભા મત વિસ્તારના લોકો શું નિર્ણય લે છે.

આ સમાચારને શેર કરો