Placeholder canvas

મોરબી: વીશીપરામાં ધોળેશ્વર મહાદેવ મંદીર પાછળ નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો.

મોરબી: વીશીપરામાં ધોળેશ્વર મહાદેવ મંદીર પાછળ નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.

મળેલ માહિતી મુજબ ફરિયાદી ગીરીરાજગીરી ગોસાઇએ વીશીપરા વિસ્તારમાં આવેલા કેશવાનંદબાપુના આશ્રમની પાછળ આવેલા ધોળેશ્વર મહાદેવના મંદીરે દર્શન કરવા ગયા હતા. મંદીરની સાફ સફાઇ કરી મંદીરની ઉપર પાછળના ભાગે કરેણના ફુલના ઝાડ છે. ત્યાં ફુલ લેવા ગયા હતા. એ સમયે તેમણે જોયું કે કરેણના ઝાડ પાસે કુતરા બેઠા હતા. જેથી કુતરાને દૂર ભગાડી ત્યાં જોતાં વિક્ષિપ્ત અવસ્થામાં એક નવજાત બાળકનો પડ્યું હતું. બાળકને શ્વાન અથવા અન્ય કોઇ જાનવર દ્વારા કરડી ખાવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

ગીરીરાજગીરીએ અન્ય દર્શનાર્થીઓને સમગ્ર બનાવની જાણ કરી હતી. નજીકમાં બાળકોનું સ્મશાન પણ આવેલુ હોવાથી કોઈ જાનવર દ્વારા જમીન નીચે દફનાવેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને ફાડી ખાધો હોય એવું અનુમાન લગાવી સ્મશાનમાં પણ તપાસ કરી હતી, પરંતુ કોઈ મૃતદેહને બહાર નીકળ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી મોરબી સીટી બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ગીરીરાજગીરીના મતે કોઇ અજાણી વ્યક્તિએ નવજાત બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળાએ મૃત પામેલા નવજાત બાળકને કરેણના ઝાડ પાસે ત્યજી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. હાલ પોલીસે નવજાતને ત્યજી દેનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો