Placeholder canvas

વાંકાનેર: પંચાસર પાસે મચ્છુ નદીમાં બાળક ડૂબી જતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી જવાથી માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા કિશનભાઇ મુનાભાઇ ધામેચા (ઉ.વ.6) નામના માસુમ બાળકનું તા.29 ના રોજ કોઈ કારણોસર પંચાસર ગામે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળક મૃતદેહ મળી આવતા તેને પીએમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ધુળેટીના દિવસે જ વ્હાલસોયા બાળકનું ડૂબી જવાથી મોત થતા તેના પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે. આ બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો