Placeholder canvas

ચંદ્રપુર: રાજાવડલા રોડ પર કારખાનામાં ચોરની ટોળકી ત્રાટકી પછી શું થયું? જાણવા વાંચો

વાંકાનેર ગઈ કાલે રાત્રે એટલે કે આજે વહેલી સવારના બે થી ચાર વાગ્યાના સમયગાળામાં ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થતા રાજાવડલાના રસ્તા પરના ચાર કારખાનામાં એક ચોરની ટોળકી ત્રાટકી હતી.

રાજાવડલા રોડ પર આવેલ ન્યોન ઇન્ડસ્ટ્રીઝ, હમવી ઓઇલ એન્ડ એગ્રો એજન્સી, રાજા ફૂડ પ્રોડકટ અને સંજર કેટલફીડમાં આ ચોર ટોળકી તાટકી હતી. જેમાં હામવી કોર્પોરેશનમાં સીસીટીવી કેમેરામાં છ થી સાત વ્યક્તિઓ ચાદર ઓઢેલી આવતી દેખાય છે.

આ ટોળકીએ કારખાનામાં ઓફિસના દરવાજા લાગ્યાથી તોડ્યા હતા જેમાં ન્યોન ઈન્ડસ્ટ્રીઝમાં થોડા-ઘણાં છુટા પૈસા અને કેટલી ફાટેલી નોટો હતી એ લઈ ગયા જ્યારે હામવી કોર્પોરેશનમાં પણ આવું થયું જ્યારે રાજા ફૂડ પ્રોડક્ટ અને સંજર કેટલ ફીડમાં બંને જગ્યાએ શટર ખોલીને અંતર જોતા એકમાં અંદર મજુર હોવાથી એ પાછા જતા રહ્યા હતા ત્યારે એક ની અંદર જ્યારે કબાટ તોડી રહ્યા હતા ત્યારે અંદર રહેલો મજુર જાગી જતા ચોરને બીજું કંઈ તો હાથમાં ન આવ્યુ પણ મંજૂર પાસેથી બસો ત્રણસો રૂપિયા લઈને જતા રહ્યા.

આમ ચંદ્રપુરના રાજાવડલા રોડ પર આવેલા કારખાનામાં ચોર ટોળકી વહેલી સવારે મોટી ચોરી કરવા ગઇ હતી ત્યારે તેમના હાથમાં કાંઈ ન આવતા અને મહેનત માથે પડી ત્યારે એક કારખાનામાં ગુસ્સે ભરાયા હોય તેમ રાઉટર તોડી નાખ્યું હતું.!! આજે વહેલી સવારમાં આ ચોરોના હાથમાં ભલે કાંઈ ન આવી હોય પણ તેમને એક મેસેજ ચોક્કસ આપી દીધો છે કે ‘જાગતા રહેજો’

આ સમાચારને શેર કરો