Placeholder canvas

વાંકાનેર:75માં સ્વાતંત્ર્ય પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી

વાંકાનેર પ્રાંત અધિકારી હસ્તે ઘ્વજવંદન કરાયું

By શાહરુખ ચૌહાણ
વાંકાનેરમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન અને શાન સાથે કરવામાં આવી છે તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી વાંકાનેર સેવા સદન ખાતે કરવામાં આવી હતી જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી શેરસીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાંત અધિકારીએ પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ કોરોનામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી અને સામાજિક અગ્રણીઓના સન્માન કરવામાં આવ્યા હતા. છેલ્લે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.

આ ઉજવણી કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શેરસીયા નાયબ મામલતદાર બી એસ પટેલ, TDO જ્યોતિબેન બોરીચા, કેસરીદેવસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, પરેશભાઈ મઢવી, જીજ્ઞાશાબેન મેર, જાવેદભાઈ બ્લોચ, અમીનાબેન શેરસિયા, રીટાબા રાઠોડ, તોફિક અમરેલીયા સહિતના રાજકીય અગ્રણીઓ, સરકારી અધિકારી અને કર્મચારીઓ તેમજ લોકો જોડાયા હતા

આ સમાચારને શેર કરો