Placeholder canvas

શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની ૭૨૨મી જન્મજયંતીની ઉજવણી…

by રવિ લખતરિયા -વાંકાનેર.
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા સમસ્ત વાણંદ સમાજ ના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજ ની ૭૨૨મી જન્મ જયંતી ની તા.૨૭/૫/૨૨ ને શુક્રવારના રોજ વાણંદ સમાજ ના મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે સંત શિરોમણી શ્રી સેન મહારાજની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ જેમાં વાંકાનેર વાણંદના આગેવાનો તેમજ શ્રી સેન યુવા સંગઠન ના સભ્યો અને વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમસ્ત વાણંદ સમાજને શ્રી સેન મહારાજની જન્મ જયંતી ની શુભકામનાઓ પાઠવી હતી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો