Placeholder canvas

કાર પલ્ટી જતા ચાર વ્યકિતઓને ઇજા

લખતર તાલુકામાં નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. કાર પલટી મારતા તેમાં મુસાફરી કરી રહેલા ચારથી વધુ લોકોને ઈજા થઇ છે.

લખતર પાસે આવેલા વિઠલાપરા ગામ અને ઓળખ ગામની વચ્ચે એક કાર પલટી મારી જતા જેમાં મુસાફરી કરી રહેલા ચારથી વધુ લોકોને સામાન્ય અને નાની મોટી ઈજાઓ થવા પામી છે ત્યારે આ ઘટના નજરે નિહાળનાર જણાવી રહ્યા છે કે કારે ત્રણ ચાર પલટી ખાદી હોવા છતાં પણ તેમાં મુસાફરી કરી રહેલા ચાર વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક આશરે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે અને આ અંગેની જાણકારી આપવામાં આવતા લખતર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચારને શેર કરો