Placeholder canvas

વાંકાનેર: મોરબી જુલતા પુલની દુર્ધટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ

વાંકાનેર: ગત રાત્રે રાત્રે 9:15 વાગયે મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે પટેલ વાડીથી રેલ્વે સ્ટેશન રોડ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

આ કેન્ડલ માર્ચમાં લોકો જોડાયા હતા અને કેન્ડલ માર્ચ પૂર્ણ સ્થળ પર મોરબી ઝુલતાપુલનું ચિત્ર બનાવી તેમને આસપાસ કેન્ડલ મૂકવામાં આવી હતી. આમ વાંકાનેર પણ મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં જાણ ગુમાવનારના પરિવારની સાથે છે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારને સાંત્વાન પાઠવ્યુ હતું.

વાલ્મીકી સમાજ દ્રારા શ્રદ્ધાંજલી

શ્રીરામ મંદિર સ્થળ પર મોરબી જુલતા પુલ દુર્ઘટનામાં તમામ મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલી આપીને ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના વાલ્મીકી સમાજ રહીશો દ્રારા કરવા માં આવી હતી.

આ સમાચારને શેર કરો