વાંકાનેર: જૈન જાગૃતિ સેન્ટર તથા જૈન જાગૃતિ લેડીસ વિંગ દ્રારા છાસ વિતરણ


વાંકાનેર: જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જૈન જાગૃતિ લેડીસ વિંગ વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે કાળજાળ ગરમીમાં છાસ દ્વારા ગરમીથી રાહત મળે તે માટે જૂની પોલીસ ચોકી, મેઈન બજાર વાંકાનેરમાં નિઃશુક્લ છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.

આ ઉદ્ઘાટન પ્રસંગે જેજેસી સેન્ટ્રલ બોર્ડના પ્રમુખ સંજયભાઈ શાહ ની શુભકામના સાથે વાંકાનેર જૈન મહાસંઘના પ્રમુખ અનંતરાય મહેતા, સંઘના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, સ્થાનકવાસી સંઘના પ્રમુખ શૈલેષભાઇ દોશી, જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ પૂનમચંદભાઈ પટેલ,વિરાજભાઈ મહેતા, ઓમભાઈ, ભોલાભાઈ, તુષારભાઈ, કિરીટભાઈ દિપમંડળના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, ભાવનાબેન ગોસ્વામી,મેઘાબેન મહેતા મીનાબેન મહેતા, અલ્પાબેન દોશી, રોશનીબેન શેઠ,સ્વીટુબેન, અમિતાબેન સંઘવી, વીણાબેન મહેતા, જીતુભાઇ અન્ય કારોબારી સભ્યો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહયા હતા.
આ છાશ વિતરણ કેન્દ્રમાં અનેક રાહદારીઓએ છાશ પીઇને ઠંડક અનુભવી હતી. આ છાશ કેન્દ્ર 30 દિવસ અવિરત ચાલશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેરના પત્રકાર મહંમદભાઈ રાઠોડ, જૈન જાગૃતિ લેડીસ વિંગના સેક્રેટરી નલિનીબેન પટેલ અને જૈન જાગૃતિ લેડીસ વિંગના પ્રમુખ ડૉ. ગીતાબેન ચેતનભાઈ બેલાણીએ જહેમત ઉઠાવેલી.
