Placeholder canvas

ધારીના આંબરડી ગામ પાસે જાનની બસ પુલ નીચે ખાબકી: 25 જાન્યાઓ થયા ઘાયલ.

અમરેલી : ધારીના આંબરડી ગામ પાસે જાનની ખાનગી બસ પુલ નીચે ખાબકી હતી જેમાં 25 જેટલા બસમાં સવાર જાન્યાઓ ઘાયલ થતા હતા.

રાજકોટથી આંબરડી આવતી જાનની બસ આંબરડી પુલ પરથી નીચે જઇ પડી હતી. બસમાં સવાર 25 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્તોને 108 અને ખાનગી વાહનોમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

આ બસ અકસ્માતમાં સોલંકી પરિવારના લગ્ન હતા અને બસમાં આંબરડી જાન જતી હતી ત્યારે દુર્ઘટના થઈ હતી, જેમાં 25 ઇજાગ્રસ્તોને સ્થાનિક સારવાર આપ્યા બાદ 18ને અમરેલી રીફર કરાયા હતા. આ અકસ્માતની જાણ થતા તંત્ર, સામાજિક સંસ્થાઓ અને રાજકીય સ્વયંસેવકો ઘાયલોની મદદે પહોંચ્યા હતા.

આ સમાચારને શેર કરો