બસપાના સુપ્રીમોના બેવડા વલણ સામે વાંકાનેર પાલિકાના બસપાના 4 સભ્યોના પક્ષમાંથી રાજીનામાં
વાંકાનેર : નાગરિકતા બિલ પસાર થવા મામલે રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે આ બિલ મામલે બસપાના સુપ્રીમોએ જે વલણ દાખવ્યું છે, તેના વિરોધમાં વાંકાનેર પાલિકાના ચાર સભ્યોએ બસપા પક્ષમાંથી રાજીનામાં ધરી દેવાની જાહેરાત કરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/HAMVI-1024x1024.jpg)
નાગરિકતા કાયદો યાને સીએચ સીટીઝનશિપ સુધારી કાયદો એટલે કે નેશનલ રજી. ઓફ સીટીઝનનો અમલ કરવા મુદ્દે સુપ્રીમો માયાવતીએ લોકસભા અને રાજ્યસભામાં ભાજપ સરકારને બચાવવા માટે તથા ભાજપ સરકારને આ કાયદાનો અમલ કરવા જેવી રીતે વોકઆઉટ કર્યું હતું. તે ડબલ ડેકર પણું સાબિત કરે છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191203-WA0005-1024x1024.jpg)
આ બન્ને કાયદાનો વાંકાનેર નગરપાલિકાના બીએસપી પક્ષના ચૂંટાયેલા વોર્ડ નંબર 4 ના સદસ્યો જાકિર બ્લીચ, શરીફાબેન રાઠોડ, સલીમ મેસાણીયા, વિજયાબેન સારેસાએ વિરોધ કરી બસપા પક્ષમાંથી રાજીનામાં આપવાની જાહેરાત કરી છે અને આ બાબતની પ્રદેશ પ્રમુખ તથા બસપાના સુપ્રીમોને જાણ કરી છે. તેમજ ભાજપ સરકારના કાળા કાયદાને વખોડી કાઢીને વિરોધમાં આ રાજીનામાં આપ્યા હોવાનું જણાવ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191214-WA0002-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)